અભયમ હેલ્પલાઇન કાઉન્સેલર્સને તાજેતરમાં એક જટિલ કેસ મળ્યો હતો જેમાં મણિનગરની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેની બહેને તેના લગ્નેતર સંબંધોને છુપાવવા માટે પતિના ભાઈ સાથે તેના લગ્ન કરાવ્યા હતા.
કેસની વિગતો મુજબ, બહેને લગ્ન કરાવ્યા હતા, કારણકે, તે તેના પતિના ભાઈ સાથેના અફેરને છુપાવવા માંગતી હતી.
અભયમ હેલ્પલાઇન કાઉન્સેલર્સે જણાવ્યું હતું કે તેમને 23 વર્ષની એક મહિલાનો ફોન આવ્યો હતો જેમાં તેમને મહિલાએ ફરિયાદ કરી હતી કે તેના સાસરિયાઓ તેમજ તેની બહેન દ્વારા તે મહિલાને હેરાન કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અંડરગ્રેજ્યુએટ નોન-પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે આ વર્ષે કોઈ પ્રવેશ પરીક્ષા નહીં: ગુજરાત સરકાર
સલાહકારોએ જણાવ્યું કે મહિલાએ તેમને કહ્યું કે તેની બહેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. ફરિયાદીને તેના લગ્ન પછી તરત જ અફેરની ખબર પડી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે આ બાબત તેની બહેનના પતિના ધ્યાનમાં લાવી હતી, પરંતુ તે કોઈ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ મહિલાએ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. મહિલાએ હેલ્પલાઇનના કાઉન્સેલરોને જણાવ્યું હતું કે એના પતિ સાથે એના કોઈ સંબંધ નથી. બાદમાં, ફરિયાદીના પતિ અને તેની બહેને કબૂલાત કરી હતી કે પરિવારમાં જ અફેરની જાણકારી રહે તેની ખાતરી માટે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે, પરિવારે હવે એવી ખાતરી આપી છે કે લગ્નેતર સંબંધોનો અંત આવશે અને ફરિયાદી માટે સુધારો કરવામાં આવશે.