જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) બારામુલા શહેરમાં આતંકવાદીઓએ વાઈન શોપની અંદર ગ્રેનેડ ફેંક્યા હતા, જેથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
મૃતકની ઓળખ રાજૌરીના રહેવાસી રણજીત સિંહ તરીકે થઈ છે. 35 વર્ષનો યુવક ગેરિસન ટાઉનમાં નવી ખુલેલી વાઈન શોપમાં કામ કરતો હતો.વાઇન શોપ બારામુલાના દીવાન બાગ પડોશમાં પોલીસ અને સુરક્ષા દળોની સુવિધાઓની બાજુમાં સ્થિત છે.
પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 8 વાગ્યે, બુરખા પહેરેલા બે આતંકવાદીઓ, બાઇક પર સવાર થઈને વાઈન શોપ પાસે રોકાયા અને અંદર ગ્રેનેડ ફેંક્યા પછી ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસ જણાવ્યું કે, આતંકવાદી હુમલામાં, દુકાનના 4 કર્મચારીઓને ઇજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાંના એક રણજીત સિંહ તરીકે ઓળખાય છે, જ્યારે બકરા રાજૌરીના રહેવાસીનું ઇજાઓને કારણે મૌત થઈ છે. અન્ય ઘાયલ કર્મચારીઓની ઓળખ ગોવર્ધન સિંહ, રવિ કુમાર, બંને બિલ્લાવર કઠુઆના રહેવાસી અને કાંગડા રાજૌરીના રહેવાસી ગોવિંદ સિંહ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, હુમલા બાદ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચો: હાર્દિકની નારાજગી નજર અંદાજ નથી પરંતુ વિરમગામની બેઠક તેનું સાચું કારણ છે