ચાર ધામ યાત્રામાં ગંગોત્રી અને યમુનોત્રી બાદ કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ધામમાં પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. આ પ્રસંગે જે રીતે ભક્તોનો ધસારો થયો હતો તેનાથી આ વખતે ચારધામ યાત્રામાં બમ્પર ભીડનો અંદાજ પણ આવી ગયો હતો.
6 મેના રોજ સવારે 6.25 કલાકે બાબા કેદાર ધામના(Kedarnath Opening) દરવાજા ભક્તો માટે ખોલવામાં આવતાં સમગ્ર કેદારનગરી હર હર મહાદેવના (Kedarnath Opening)નારાથી ગુંજી ઉઠી હતી. આ અવસર પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા અને તેમણે કેદાર ધામના ઉદઘાટનની માહિતી પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરંપરા મુજબ ધામ ખુલ્યા બાદ ધામમાં પૂજા-અર્ચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો કેદારધામ પહોંચ્યા હતા.

દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહોંચ્યા છે. ઠંડી હોવા છતાં બાબાના દ્વાર ખુલતા પહેલા જ કેદાર મંદિરમાં(Kedarnath Opening) ગુરુવારે મોડી રાતથી જ ભીડ જોવા મળી હતી. સવારે સરસ્વતી નદી સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી . બાબા કેદારના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને લોકોમાં સેલ્ફી અને ફોટા પડાવવાની સ્પર્ધા પણ જોવા મળી હતી. ઘણા લોકો તેમના પરિવારના સભ્યોને ફોન દ્વારા બાબાના દર્શન કરાવતા જોવા મળ્યા હતા.



આ પહેલા ગુરુવારે બાબાના ચાલવિગ્રહ ઉત્સવમાં ડોલી બાબા કેદારનાથ ધામ પહોંચી હતી. હજારો ભક્તો અને બમબમ ભોલેનાથના(Kedarnath Opening) જયઘોષ સાથે ડોલી ધામમાં(Kedarnath Opening) પહોંચી હતી. શુક્રવારે સવારે બાબાના દ્વાર ખુલ્યા બાદ આ ડોલીને મંદિરની અંદર મૂકવાની પરંપરા શરૂ થઈ હતી. આખી રાત ડોળી આરામ માટે મંદિરના ભંડારમાં રહી હતી અને હજારો ભક્તોમાં ડોળી સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેદારનાથ ધામમાં પ્રથમ વખત ભક્તો આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિમાં શંકરાચાર્યની મૂર્તિના પણ દર્શન કરશે . 2013ની દુર્ઘટનામાં આ સ્થળ નાશ પામ્યું હતું, જેને ફરીથી બનાવવામાં આવ્યું છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા.