રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓમાં, કર્ણાટકમાંથી ત્રણ બેઠકો શાસક પક્ષ – ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતવામાં આવી છે, સાથે જ કોંગ્રેસને એક અને જનતા દળ-સેક્યુલર (જેડીએસ) ને કોઈ બેઠક મળી ન હતી.
શુક્રવારે જાહેર થયેલા પરિણામમાં, ભાજપના ત્રણેય ઉમેદવારો એવા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, અભિનેતાથી રાજકારણી બનેલા જગેશ અને આઉટગોઇંગ એમએલસી લહેર સિંહ સિરોયા તેમજ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ સાથે કર્ણાટકમાંથી ઉપલા ગૃહની બેઠકો જીત્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી માટે કુલ છ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપે તેના ઉમેદવારને ત્રણ બેઠકો પર ઉતાર્યા હતા અને કોંગ્રેસમાંથી બે તેમજ જેડીએસમાંથી એકે સંસદના રાજ્યસભા ગૃહમાં કર્ણાટકમાંથી ચાર બેઠકો માટે ચૂંટણી લડી હતી.
અન્ય બે ઉમેદવારો – કોંગ્રેસના મન્સૂર અલી ખાન અને જેડીએસના કુપેન્દ્ર રેડ્ડી અનુક્રમે 26 અને 30 મત મેળવ્યા બાદ ચૂંટણી હારી ગયા હતા.
ક્રોસ વોટિંગની શક્યતાના ડરથી, ત્રણેય પક્ષોએ વ્હીપ જારી કર્યો હતો જેથી તેમની પાર્ટીના ધારાસભ્યો તેમના પક્ષના ઉમેદવારોને જ મત આપે. જો કે, પરિણામો બાદ ભાજપના સચિવ સીટી રવિએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારોને અન્ય પક્ષોનું સમર્થન મળ્યું છે. “તેમને (ભાજપના ઉમેદવારોને) ફાળવવામાં આવેલા મતો કરતાં વધુ મત મળ્યા, અન્ય પક્ષના લોકોએ અમને (ચૂંટણી જાતવામાં) મદદ કરી.”
ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયા બાદ, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, બીએસ યેદિયુરપ્પા (ભૂતપૂર્વ સીએમ)એ હંમેશા મને જે આશીર્વાદ આપ્યા છે તેનો હું આભાર માનું છું. મને તેમની સેવા કરવાની બીજી તક આપવા હું દરેક ધારાસભ્યનો અને તેમના દ્વારા કર્ણાટકની જનતાનો આભાર માનું છું.
પોતાની જીત પાર્ટી અને તેના સભ્યોને સમર્પિત કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, “આ મારી જીત નથી, આ ટીમ કોંગ્રેસની જીત છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી, પીસીસી ચીફ ડીકે શિવકુમાર, સીએલપી નેતા સિદ્ધારમૈયા, ચીફ વ્હીપ અને તમામ ધારાસભ્યો કે જેમને વોટ કર્યા, આ ખરેખર ટીમવર્કની જીત છે. આ ટીમ કોંગ્રેસની જીત છે.”