કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનની તૈયારીના ભાગ રૂપે AMCએ આશરે રૂ. 5 કરોડમાં 22 લાખ રાષ્ટ્રીય ધ્વજનો ઓર્ડર આપ્યો હતો. જે 30 રૂપિયા પ્રતિ ધ્વજના ભાવે વેચવાના હતા. AMCની જનરલ બોડીએ તાજેતરમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જો કે શહેરમાં ધ્વજ ભરવાની લાકડી માટે વાંસની લકડીઓની અછતને કારણે AMCએ ઓર્ડર ઓછો કરી 11 લાખ ધ્વજ ખરીદવાની ફરજ પાડી હતી.
AMCના એક અધિકારીના જણાવ્યા અનુસાર કોર્પોરેશને 4 લાખ ધ્વજમાં વાંસનો અને 6 લાખ ધ્વજમાં એલ્યુમિનિયમની લાકડીનો ઉપયોગ કર્યો છે
સૂત્રોએ જણાવ્યું હતું કે યોજના અનુસાર રાષ્ટ્ર ધ્વજ ફરકવવા માટે વાંસની લાકડીનો ઉપયોગ કરવાનો હતો, પરંતુ શહેરમાં વાંસની અછત હોવાથી કોર્પોરેશન માત્ર 11 લાખ રાષ્ટ્રધ્વજ જ ખરીદી શક્યું હતું, જેમાં વાંસની અછતને કારણે 6 લાખ ધ્વજમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
AMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અત્યાર સુધીમાં લગભગ 4 લાખ વાંસની લાકડીઓ ખરીદી શક્યુ છે, જેનો ઉપયોગ રાષ્ટ્રધ્વજના માસ્ટ તરીકે થવાનો છે. બાકીના 6 લાખ માટે કોર્પોરેશને એલ્યુમિનિયમની ખરીદી કરી છે.
તેમણે કહ્યું કે ભાજપ કોર્પોરેશનમાં શાસક પક્ષ તરીકે, દરેક મતવિસ્તારમાં રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ પણ કરશે, અને AMC 11 લાખ રાષ્ટ્રધ્વજ વેચશે એવું નક્કી કરવામાં આવ્યું હતું , જ્યારે અન્ય 11 લાખ ભાજપ દ્વારા વહેંચવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત ‘ હર ઘર તિરંગા‘ અભિયાન હેઠળ એક કરોડ રાષ્ટ્રધ્વજ ફરકાવશે