નાણાંની ભીડમાં આવી અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી કાપડના વેપારીએ આપઘાત કરી કર્યો હતો. રિવરફ્રન્ટ પર જઈને ઝેરી દવા પી પર્સ મોબાઈલ મૂકી નદીમાં ઝંપલાવી વેપારીએ આપઘાત કર્યો હતો. વેપારીએ લખેલી સુસાઇટ નોટ પોલીસે કબ્જે કરી છે. સ્યુસાઇડ નોટમાં 11 વેપારીઓના નામ હોવાથી ગુનો નોંધાયો હતો. આ અંગે રિવરફ્રન્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
વ્યાજખોરોના ત્રાસથી તો અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ બની જ છે પરંતુ વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો છે. 11 વેપારીના નામ સુસાઇટ નોટમાં વેપારી લખી અંતિમ પગલુ ભર્યું હતુ. જેમાં 60 થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાં વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદીમાં ઝપલાવી આત્મહત્યા કરી હતી.


વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ના વેપારી વિજય જિનગરએ સુસાઇટ નોટમાં મુંબઈના અને અમદાવાદના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઈ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજય ભાઈ, દીપકભાઈ, અસલમ ભાઈ, કમલેશ ભાઈ, ઋષભ ભાઈ, વિક્રમ તથા યશના નામ લખી આક્ષેપો કર્યા છે. જેમાં મૃતકને માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાં ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાના આક્ષેપો કર્યા છે.
અગાઉ રૂપિયાની ઉઘરાણી માટે પહોંચેલા વેપારી વિનય અગ્રવાલએ તો તેવી ધમકી આપી હતી કે, તેની સાથે આવેલો એક મોટા નેતાનો ભત્રીજો છે. હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો હોવાની ધમકી આપી બધા મંત્રીઓને ઓળખું છું તેમ કહી માર મારી અપહરણ કરવાની અને હાથ પગ તોડવાની ધમકી પણ આપી હોવાના આક્ષેપ કર્યા છે.